From: Jigisha Patel <dilipjigisha@gmail.com>
Date: October 30, 2018 at 6:22:54 PM PDT
To: dilipjigisha@gmail.com
Subject: માનસિકતા નથી બદલાઈ
બાર વર્ષની નીમુ તેના ભાઈની ચડ્ડી ને ટીશર્ટ પહેરીને તેના ભાઈઅને તેના મિત્રો સાથે ક્રિકેટ રમતી હતી.તેનો ભાઈ તેનાથી દોઢ વર્ષ જ મોટો હતો.નીમુ ગોરીચીટ્ટી,ગોળમટોળ ,એકદમ ચાલાક અને ટોમબોય જેવી હતી.તેને બધી છોકરાઓની રમત રમવી ગમતી.તે બધી રમતમાં છોકરાઓને હરાવી દેતી. તે ક્રિકેટ રમતી હતી અને બધા છોકરાઓ એકદમ ગભરાઈ ગયા કારણ નીમુની ચડ્ડી લોહીવાળી થઈ હતી. કોઈને કંઈ સમજ નહતી.નીમુ ને થયું કે કંઈ વાગ્યું નથીને આ લોહી ક્યાંથી આવ્યું ?તે બેટ ફેંકી ને દોડતી મા પાસે ઘરમાં ગઈ.તેને જોઈ મા બધું તરતજ સમજી ગઈ.મા મનમાં જ બબડી “હજુ તો નીમુને બાર જ વર્ષ થયા છે આ………થોડું વહેલું નથી?”મા એ નીમુને કપડાં બદલાવ્યા અને ઘરમાં એકબાજુ બેસાડી દીધી.એટલામાં જ નીમુના દાદી સેવામાંથી બહાર આવ્યા.તે રોજ નીમુને પ્રસાદ ને આરતી આપતા પણ નીમુ ના પીરીયડની વાતની ખબર પડતા તેમણે નીમુને આરતી તો આપી જ નહીં અને પ્રસાદ આપતા પણ નીમુને પોતાનાથી દૂર રહેવા કીધું અને પ્રસાદ અછૂત હોય તેમ ઉપરથી હાથ અડી ન જાય તેમ આપ્યો.દાદીએ કંતાનનો એક કોથળો આપી નીમુને તેની પર બેસવાનું કીધું .જમવા પણ તેને બધા સાથે ન
આપ્યું અને કીધું” બેટા આપણે ત્યાં રાજસેવા છે માટે રસોડામાં અને સેવામાં ભૂલથી પણ જતી નહી.
નીમુને આજે એકલા ખૂણામાં નીચે બેસીને જમવું પડ્યું .નીમુને કેરીનું અથાણું બહુ ભાવે.માએ અથાણું
વાટકીમાં જુદું આપ્યું ને અથાણાની બરણીને ભૂલમાં પણ નઅડાય તેમ કહ્યું.દાદીએ નીમુની માને કીધું “આજે કંસાર રંધાવજે ,નીમુ મોટી થઈ ગઈ .” નીમુનું નામ નિર્મલા હતું.નીમુ મુંઝાઈ ગઈ હતી. ઘરમાં અને પોતાના શરીરમાં શું થઈ રહ્યું હતું ,તે કંઈ જ તેને સમજાતુ નહોતુ .ગઈકાલ સુધી બધા પર દાદાગીરી કરતી ,દોડતી,કૂદતી,છોકરાઓ સાથે ક્રિકેટ રમતી,આંબાના ઝાડ પર ચડી કેરીઓ તોડતી,મંદિરમાં આરતીના સમયે ટેબલ પર ચડી ધંટ વગાડતી નીમુને આજે એકબાજુ ખૂણામાં બેસી જવાનું!રમવાનું નહી,કોઈને અડવાનું નહી.તેની થાળીજુદી,તેને લાકડાની પાટ પર કંતાનની ગાદીવાળી પથારી જુદી,મંદિર કે રસોડામાં જવાનું નહી.વળી નખમાંય રોગ નહી એવી નીમુની લોહી નીંગળતી હાલત ને પેટમાં દુખ્યા કરે તે વધારાનું.મા કે દાદી કંઈ સમજાવે નહી ને કહે છોકરીઓ મોટી થાય એટલે દર મહિને પિરીયડ આવે.નીમુ તો આ અસ્પૃશ્યતાનું નિવારણ કેવીરીતે લાવવું તે જ વિચાર્યા કરે!
થોડા દિવસ પછી સ્કૂલમાં ડોકટર સોનલ દેસાઈ ગાયનેકોલોજીસ્ટનું પ્રવચન હતું.તેમણે સ્કૂલના બધા છોકરા,છોકરીઓને પિરીયડ એ કુદરતી શારીરિક પ્રક્રિયા છે તે ગર્ભાશયના ચિત્રો સાથે સમજાવ્યું.આ કોઈ
અપવિત્ર પ્રક્રિયા નથી પરંતુ સૌથી પવિત્ર પ્રક્રિયા છે જેને કારણે સ્ત્રી મા બનવા સક્ષમ બનેછે. આ દરમ્યાન
સેનેટરી નેપકીન વાપરી કેવીરીતે ચોખ્ખાઈ રાખવી જોઈએ તે પણ સમજાવ્યું. નીમુ હવે બધું સમજી ગઈ
હતી.તેની મા તો કહેતી પીરીયડમાં જુદા રહેવાનો રિવાજ સારો છે તે બહાને સ્ત્રી ને ચાર દિવસ આરામ મળી જાય અને પહેલા સ્ત્રીઓ કપડાં વાપરતી એટલે રસોડામાં ન અડે તો ચોખ્ખાઈ પણ જળવાય.સમયની સવારી આગળ વધવા લાગી.નિર્મલા એન્જનિયર થઈને અમેરિકામાં સેનઓઝે આવી ગઈ.જિન્સની શોર્ટસ પહેરીને પતિ નમન સાથે ગીલરોયની ટેકરીઓ પર હાઈકીંગ કરવા જાયછે.રસ્તામાં હનુમાનજીનું મંદિર આવે છે .દર્શન કરવા પગથિયાં ચડે છે અને અડધેથી પાછી ઉતરી જાયછે.નમન પૂછે છે “કેમ પાછી જાય છે ?તો કહે છે “ફરી આવીશ દર્શન કરવા હું પિરીયડમાં છું”. બધું બદલાયું,કપડાં પરથી સેનેટરી નેપકીન અને એથી ય વધીને Tampon .પીરીયડમાં સ્ત્રીઓ બધું જ કામ ઘરનું અને બહારનું કરવા લાગી પણ ભારતીય સંસ્કૃતિના દરેક ધર્મોએ ,સમાજ અને કુટુંબોએ ઠાંસીઠાંસીને ભરેલ માનસિકતા કેવીરીતે બદલાય? નિર્મલા જેવી કાબેલ છોકરીના મગજમાં પીરીયડમાં મંદિરમાં ન જવાય તે વાત કેવીરીતે ઠસાવી.માસિક શારીરિક પ્રકિયા છે તેને ધર્મ સાથે શું લેવાદેવા?આ માનસિકતા તેના મગજ મા થાેપવા માટે જવાબદાર કોણ?માતા,દાદી,કુટુંબ,સમાજ કે બધાજ?માસિકધર્મ શબ્દ જ ખોટો નથી લાગતો?